બુલેટ ટ્રેન યોજનામાં જતી ફળદ્રુપ જમીનો બચાવવા ખેડૂતોની વિરોધ યાત્રા
અમદાવાદ-મુંબઈ વચ્ચે આકાર લઈ રહેલા જાપાન સરકાર સહાયિત મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે આંદોલનની તૈયારી થઈ રહી છે. ખેડૂતો અને લોકોની અનિચ્છાથી થઈ રહેલા આ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ સામે અમદાવાદથી શરૃ કરીને છેક મુંબઈ સુધી વિરોધ યાત્રા કાઢવાનું આયોજન ઘડાયું છે, જેની ગુજરાત ખેડૂત સમાજ-સંગઠન દ્વારા ટૂંક સમયમાં જાહેરાત થશે.
સૂત્રો કહે છે કે, પ્રોજેક્ટના રૃટ ઉપર ૧૫૯ જેટલા ગામડાઓના ખેડૂતોને ગંભીર અસર થઈ રહી છે. આ ખેડૂતોની જમીનો ફળદ્રુપ હોઈ તથા તેની ઉપર તેમના પરિવારો નભતાં હોઈ તેઓ પોતાની મહામૂલી જમીનો પ્રોજેક્ટ માટે આપવા તૈયાર નથી, એટલે અસરગ્રસ્ત થનારા ખેડૂતો પણ યાત્રામાં જોડાશે.