આજે સાંજે કોંગ્રેસ ભવનમાં કોંગ્રેસના ધારાસભ્યો થશે ભેગા, જાણો શું છે કારણ?

આગામી18 અને 19મી તારીખના રોજ વિધાનસભાનુ બે દિવસીય સત્ર મળનાર છે. વિધાનસભામાં સરકારને ધેરવા માટે કોંગ્રેસે રણનીતી ધડી રહી છે. સત્રના પહેલા દિવસે એટલે કે, 18મી તારીખે વિધાનસભાનો ઘેરાવો કરવા અંગે આજે સાંજે 3 વાગે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના MLAની એક મહત્વની બેઠક મળશે.
આ બેઠક પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં મળશે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં વિધાનસભાનાં સત્ર દરમિયાન ગૃહમાં સરકારને ઘેરવા અંગેની રણનીતિ પણ ઘડવામાં આવશે. જેમા ખેડૂતોની દેવામાફી, મગફળી કૌંભાડ, મોંઘવારી, પેટ્રોલ ડિઝલના વધતા ભાવ, રાજ્ય સરકાર દ્રારા વસુલવામા આવતો વેટ, બેરોજગારી તેમજ સરકારે આપેલા વચનો વગેરે મુદાઓ ઉઠાવાવા અંગે રણનીતિ ઘડવામાં આવશે.

More videos

See All